આપણો ચહેરો એક કેનવાસ જેવો છે, જે આપણી જીવનશૈલીની ચાડી ખાતો હોય છે. સ્મિત, હાવભાવ, સંવેદનાઓ, તણાવ, આચાર-વિચાર અને દિનચર્યા આ બધાની અસર આપણા ચહેરા પર, ખાસ કરીને ત્વચા પર પડે છે. ટુંકમાં ચહેરો આપણા શરીરની અનુક્રમણિકા કહી શકાય. આ કેનવાસને શક્ય તેટલો તાજગીભર્યો કે યુવાન રહે તે માટે સંભાળ કે સારવારની અત્યંત જરૂર હોય છે. સ્વ-સંભાળથી ચહેરાને હંમેશાં તરોતાજા અને કોમળ રાખવા તેમજ આત્મવિશ્વાસ અને સુખાકારી માટે નિયમિતતા તથા સચોટતાની આવશ્યકતા હોય છે.